4.4.09

કોણે કહ્યું કે અશ્રુઓ આંખોનો ભાર છે
સઘળાં પ્રસંગે મ્હોરતો નવલો નિખાર છે

નજરું તમારી પાપણોમાં મ્યાન રાખજો
ખાંડા સરીખી તેજ લાગણીની ધાર છે

લહેરાતી લ્હેરખી અને વસંતી વાતનો
ઊડતાં પતંગીયાઓ જાણે ટૂંકસાર છે

ઉભો રહ્યો’તો આયના સમક્ષ જે રીતે
ત્યારે થયું કે "હું" જ મારી આરપાર છે

કાગળ ન આપને લખ્યો એ મારો દોષ ક્યાં ?
શબ્દો જ, જે મળ્યા નહીં, કસુરવાર છે

મૃગજળ સમીપ પહોંચવામાં આયખું વિત્યું
દિવાસળીને ચાંપ, એટલીજ વાર છે

No comments: