11.3.10

આંગણુ આ ઝળહળે છે જ્યારથી
આવવાના એ, ખબર છે ત્યારથી

ભીતરી ડેલી કદી ના વાસજે
કાશ કોઈ સ્વપ્ન આવે બહારથી

થનગને જો અશ્વ ઈચ્છાઓ તણા
તો હજો એક કૃષ્ણ જેવો સારથી

પાંખડી જીરવી જતી ઝાકળ, અને
પાપણો ઝુકે આ અશ્રુ ભારથી

શ્વાન તું નાહક બને, ગાડાં તળે
કેવડો બેઠો છ ઉપર મ્હારથી

No comments: