16.10.08

એરણે જ્યારે મુકી મેં જાતને
ઓળખી ત્યારે ખરી ઓકાતને

મૌનને ગાંઠે ન હૈયુ, ને ફુટે
બે અધીરાઈની પાંખો વાતને

ના સુરાહી કે ન હો સાકી ભલે
જામમાં ઘોળ્યો અમે એકાંતને

ફુલ પર વિતી હશે જે રાતભર
ઝાકળે ચિતરી દીધું વૃત્તાંતને

દિ’ ઉગે આ એક પણ ’તારા’ નથી
કેમ સમજાવું બિચારી રાતને

4 comments:

ડૉ.મહેશ રાવલ said...

અભિનંદન સર!
આ ગઝલ પણ"ટનાટન" લખાઈ છે
ફુલ પર વિતી હશે જે રાતભર
ઝાકળે ચિતરી દીધું વૃત્તાંતને
વાહ!

neetnavshabda.blogspot.com said...

ફુલ પર વિતી હશે જે રાતભર
ઝાકળે ચિતરી દીધું વૃત્તાંતને

દિ’ ઉગે આ એક પણ ’તારા’ નથી
કેમ સમજાવું બિચારી રાતને

excellent expression..liked very
much..

neetnavshabda.blogspot.com said...

ફુલ પર વિતી હશે જે રાતભર
ઝાકળે ચિતરી દીધું વૃત્તાંતને

દિ’ ઉગે આ એક પણ ’તારા’ નથી
કેમ સમજાવું બિચારી રાતને

excellent expression..liked very
much..

Krishna The Universal Truth.. said...

just gr8 sir...exlnt...