22.5.09


હાથની રેખાના વળ ખુલતા હશે
રાહમાં એનીજ સહુ જીવતાં હશે
.
ભોળપણ ને બાળપણ બન્ને હજુ
ઉંબરા પાસેજ ટળવળતાં હશે
.
છન્ન પાયલ, ને સુરાના છમ્મથી
કેટલાના કાળજા ઠરતાં હશે
.
મૈકદામાં ક્યાં કદી આવે ખુદા
બેઉ જોકે પ્રાસમાં મળતા હશે
.
બોધ પરવાના ઉપરથી લઈ બધાં
મોતની શમ્મા ઉપર જલતા હશે

1 comment:

RAJESH VANK said...

VAH DR EXELENT