5.8.11

આયનો તુટ્યો તિમિરનો, સુર્યના એક વાર થી
સેંકડો કરચો ઉડી, પડછાયા થઈને ત્યારથી

લાગણીનો રથ લઈ, સંબંધના કુરૂક્ષેત્રમાં
કંઈ ઘવાશે દિલ, અગર હો કૃષ્ણ જેવો સારથિ

પાંપણો ઢળતી, શું અશ્રુ એવા ભારેખમ હતાં ?
પુષ્પ ના ઝુક્યા કદીએ ઝાકળોનાં ભારથી..!!

જે નમાજે ના ઝુક્યા હરગીઝ ભલા સાકી, ઝુકે
એક બસ તારે ઈશારે, ભલભલાઓ મ્હારથી

જીંદગીમાં લઈ બધું લેવાની આદત ગઈ નહીં
મોત પણ ખુદનું કરી પોઢી ગયો’તો સ્વાર્થી

1 comment:

Anonymous said...

આયનો તુટ્યો તિમિરનો, સુર્યના એક વાર થી
સેંકડો કરચો ઉડી, પડછાયા થઈને ત્યારથી
and
જીંદગીમાં લઈ બધું લેવાની આદત ગઈ નહીં
મોત પણ ખુદનું કરી પોઢી ગયો’તો સ્વાર્થી
saheb ek vaat chokkas tamari rachnanu mukhdu ane ant terrific hoi che aa case pan evuj .... mukhdu is too good, too good... amar mankad