16.12.10

દરેક જણને કોઈને કોઈ કવિતા સ્પર્શી ગઈ
અને કવિતા તરફ ઝોક વધ્યો અને રચનાકાર
થઈ જવાયું.......મારી વાત જરા અલગ છે,
સંજોગોએ મને એવો ઘેરી લીધો કે અંતે પદ્ય
રચનાઓ લખ્યા વિના રહેવાયું નહી...
પહેલો સંજોગ, જુનાગઢમાં જન્મ....અને કવિ
પ્રફુલ્લ નાણાવટી સાથે કાકા હોવાને નાતે
સંયુક્ત કુટુંબમાં રહેવું, એ બીજો સંજોગ...નરસિંહ મહેતાની
કર્મભૂમી જુનાગઢ નગરીએ અગણિત મુર્ધન્ય કવિઓની
ભેટ ગુજરાતી સાહિત્યને આપી છે...કાકાને ત્યાં
કવિગોષ્ટિ દર મંગળવારે થતી ત્યારે ખુણામાં
બેસી પ્રતિષ્ઠિત કવિઓ જેવા કે મનોજ ખંડેરિયા,
શ્યામ સાધુ, રાજેન્દ્ર શુક્લ પ્રફલ્લ નાણાવટી,
બરબાદ જુનાગઢી, દરબાર સાહેબ ( રૂસવા મઝલૂમિ)
ગોવિંદ ગઢવી વિગેરેને ખુબ સાંભળ્યા, ખુબ માણ્યા
અને કદાચ અજાણતાજ ઉરમાં ઉતાર્યા...એ સંજોગ ત્રીજો,,,
મારા ખાસ મિત્ર અને રાહબર કવિ ડો, ઉર્વીશ વસાવડાના
પ્રથમ સંગ્રહ ’પિંછાનું ઘર’ ના વિમોચન પ્રસંગે મુશાયરાના
માહોલ વખતે કદાચ નાનપણની સંઘરાયેલી ઉર્મિઓ
સળવળી અને અંતે મારે પણ કંઇક લખવું એ નિર્ધાર
સાથે લખવું શરૂ કર્યુ, એ સંજોગ ચોથો.....પ્રસંગોપાત ઘટનાઓ વિષે
લખવાની આદત પડી ગઈ....કયા સ્તર સુધી પહોંચ્યો
એ તો ખબર નથી... પણ.લયના સ્તર સુધી પહોંચવા મથી રહ્યો
છું...!!!!! અને આજે એ જ બચપણની યાદો અને પ્રેરક પાત્રોને વણી
એક ગઝલ લખી નાખી,,,, એ જ અહી પ્રસ્તુત છે..

સાવ રે ખંડેર સરખા મન મહી
ઈન્દ્રરાજે શ્યામની વાતો કહી

મન પ્રફુલ્લિત થઈ અને બોલી ઉઠ્યું
લઉં ગઝલ કરતાલ, બીજું કંઈ નહી

ઊરમાથી વિષ સઘળું નીકળ્યું
ચોતરફ ગોવિંદની ગાથા ચહી

સહેજમાં બરબાદ થાતો રહી ગયો
છંદ ઝુલણે આજ પણ જીવું અહીં

કુંડ દામોદર થકી બોળી કલમ
જ્યાં લખું, નરસિંહના પગલાં ત્યહીં

1 comment:

k m cho? -bharat joshi said...

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
‘શૂન્ય’ પાલનપૂરી
કુંડ દામોદર થકી બોળી કલમ........

"અંતે મારે પણ કંઇક લખવું એ નિર્ધાર
સાથે લખવું શરૂ કર્યુ, એ સંજોગ ચોથો.....પ્રસંગોપાત ઘટનાઓ વિષે
લખવાની આદત પડી ગઈ"
દામોદર કુંડમા શાહી છે ત્યા સુધી બસ લખતા રહો..................