29.9.08

MRUTYU

અંબાડી તૈયાર , કે માણસ ચેતી જાજે
જાનૈયા છે ચાર , કે માણસ ચેતી જાજે

હરખાતો ના આજ કે બંધન છુટ્યાં તારા
બાંધે કરશે પાર , કે માણસ ચેતી જાજે

ટીંપુ એકે લોહી તણુ ના છોડ્યું કિંતુ
પાશે ગંગાધાર , કે માણસ ચેતી જાજે

મુખમાં ન્હોતો એક દિલાસો તારા દુ:ખમાં
કરશે જય જય કાર , કે માણસ ચેતી જાજે

અંધારું છો હોય જીવનમાં , ચિતા અચુકથી
જલશે પારાવાર , કે માણસ ચેતી જાજે

સંબંધી ને યાર સગાં સૌ પાછા વળશે
આતમ તારો યાર , કે માણસ ચેતી જાજે

સંતાપો કંકાસ ઘણો આ નરક મહીં , ત્યાં
જલસા અપરંપાર , કે માણસ ચેતી જાજે

No comments: