20.3.12

આપણાં સંબંધના સોગન, હવે
"ગાંઠમાં બંધાઈ જાવું પાલવે"

પાંખડી પણ સાવ પાખંડી હતી
બે ઘડી પણ ઓસનું ન સાચવે

બે’ક પ્યાલી ઠાલવી મૈકશ બધાં
પોતપોતાની વ્યથાઓ ઠાલવે

આખરે, ઈર્શાદ પરણાવે, રદિફ
કાફિયા સાથે, ગઝલને માંડવે

લાશને સળગાવવામાં સૌ સગા
સહેજ પણ સૌજન્યતા ન દાખવે

ડો. નાણાવટી ૨૦-૩-૧૨

No comments: