24.3.12

ક્ષણ ક્ષણના સરવાળા કરતા શેષ વધે, એ ઘટના
ઘટનાઓ જે જીવતરમાંથી બાદ થતી, એ સપના

તૃષ્ણા નામે સરવર છલકે મૃગજળથી, એ ભ્રમણા
દર્પણમાથી આખે આખી બહાર ઝરે તે છલના

મયખાને વ્યવહારો ચાલે સુખદુ:ખના મૈકશના
મસ્જિદમાં સૌ ખુદને કાજે આવે શું એ ખપના।?

શ્વાસોની પગથારે ચાલો વાટ હવે ગઈ ખુટી
અજવાળી પાંખોએ ફરશું ફેરાઓ ભવભવનાં

અમથો વાલમ આંટો દેજો, વ્હાલપની નગરીમાં
રસ્તા મહેકે લાગણીઓના ગુલમહોરે રગરગના
ડો. નાણાવટી

No comments: