21.2.08



હાથના હૈયે કદી વાગે નહીં
આપના તમને કદી તાગે નહીં

નાવ લઈ શમણા તણી ખેડે સફર
એ પછી મધરાતના જાગે નહીં

એમ તો કોમળ હ્રદયનો છું છતાં
હુંફના ઊફાળ દિલ દાગે નહીં

એ હરણને રણ મહીં કારણ હશે
કોઈ અમથું છળ તરફ ભાગે નહીં

મોત કરતાં જીંદગી ભારે પડી
મોક્ષ નહીંતર માણસો માગે નહીં

2 comments:

વિવેક said...

એ હરણને રણ મહીં કારણ હશે
કોઈ અમથું છળ તરફ ભાગે નહીં

- મજાનો શેર...

neetnavshabda.blogspot.com said...

એ હરણને રણ મહીં કારણ હશે
કોઈ અમથું છળ તરફ ભાગે નહીં..

આ શેર ખૂબજ ગમ્યો..