4.2.10

કોઈ કાળે એમ સંભાવી શકે..??

અસ્થિઓ ખુદના જ પધરાવી શકે..!!
.

લાગણીના, હાથ આવે, બીજ જો
કેટલા વેરાન મન વાવી શકે
.

જે હજુ ખુદને જ ના સમજી શક્યો
એ મને કઈ વાત સમજાવી શકે
.

હાથ જોડ્યા ક્યારના, કંઈ કર ખુદા
તો હલેસા, હાથ હલ્લાવી શકે
.

સહેજ ખુલ્લી રાખજે મારી કબર
આપના પગલાનો રવ આવી શકે

1 comment:

k m cho? -bharat joshi said...

"જે હજુ ખુદને જ ના સમજી શક્યો
એ મને કઈ વાત સમજાવી શકે"
આ પંક્તિ અત્યારના "so-called" વ્યાસપીઠો પરથી અને સ્ટેજ ના key-note સ્પીકર જે જીવન જીવવાની જડ્ડિબુટ્ટી વહેચી રહ્યા છે તેને અર્પણ