17.12.08


પાન એકાદું ખરે, તો પાનખર કહેવાય ના
એકલી દિવાલને કંઈ ઘર ગણી રહેવાય ના

વૃક્ષની લીલી કૂંપળના સમ મને દેતો નહીં
લાગણીથી છમ્મ છું, લીલું હવે જીરવાય ના

છેડતી નક્કી સુરજની કોઈએ કીધી હશે
એમ કંઈ એ લાલ થઈ ધરતી મહીં ધરબાય ના

સ્વસ્થ ચિત્તે જો વિચારો, આપણો પડછાંયડો
આપણી ચાડી સતત ખાતાં જરી ખચકાય ના

સાદ પણ પહાડી, બુલંદી, પહાડ સામે જોઈએ
કાનમાં બોલ્યા કરો એવું કદી પડઘાય ના

1 comment:

Anonymous said...

Nice Kavya-Rachana......I had posted a Kavya on PANKHAR on my Site too...PLEASE do read !
www.chandrapukar.wordpress.com
Dr. Chandravadan Mistry