11.12.08


અલવિદા કહેતું, પ્રથમ પાને કોઈ
ક્રુરતા કરતું હશે શાને કોઈ

બેવફાઈની બહુ આવે ખબર
ના ધરું અફવા ગણી કાને કોઈ

શેષનાગો નાથીયા સ્મરણો તણાં
તોય સળવળતાં હજી છાને કોઈ

આંખનાં આંસુ સતત પીતો રહી
જામમાં છલકાય મયખાને કોઈ

મોત નામે ભીંત પર લટકે છબી
એમ ક્યાં ભગવાનને માને કોઈ

No comments: