30.5.12

ટેરવાનુ તાર પર રણઝણ થવું
વેદનાની આંખમાં આંજણ થવું

અણગમાની ડેલીએ સાંકળ ખુલી,
કોઈને સત્કારવા આંગણ થવું

સંશયોની આ સવાલી ભીડમાં
આપણે કાયમ સબળ કારણ થવું

સાવ હળવા રાખવા તમને ભલા,
ક્યાં સુધી પાંપણ ઉપર ભારણ થવું..??

જે થયું, જોગાનુજોગે, થઈ ગયું
આગમન તારૂં, ને મુજ મારણ થયું

No comments: