12.7.12

જિંદગીના રણનું મારણ છે મરણ
 જાણતું એ હોય છે કાયમ હરણ 


 'હું' અને પ્રતિબિંબ એક જ છે, છતાં
 હોય છે વચ્ચે અહમના આવરણ 


 શ્વાસના કુંડળ, ને તનનું આ કવચ
 દઈ દીધા, તોયે નથી કહેતા કરણ


 ને અમે પણ ઓગળી જાશું પછી
 ચિન્હમાં રહેશે ફકત બે "અવતરણ"


 ત્યાં જુલુસ જુદું જનાજેથી પડે 
ખૂટતા , વળતા જનાજે, બે ચરણ

1 comment:

k m cho? -bharat joshi said...

"IIIIIIIIIIIII..!!!"
"/"