22.2.12

માં યશોદા, નંદજીને ખોરડે
આજ બંધાયા હરિહર દોરડે

કાશ શામળીયો જશે, એ વાતડી
કાળજે વિંઝાય સહુને કોરડે

અશ્રુઓ રાધાની આંખે ઝળહળે
એજ બસ દિવા સરીખું ઓરડે

છન્ન પાયલ, છમ્મ મીંરા પ્રેમ છે
ઝેરના ફળફળ ઉકળતે તોરડે

આપણું આ આયખું શિરમોર છે
એક પીંછુ હાથ આવી જો ચડે
ડો.નાણાવટી

No comments: