7.2.12

હું રખે રાધા બનું તો વાંસળી થઇ વાગજે
મસ્ત મીંરા બાવરી, તો ઝેર થઈને આવજે

પાછલી રાતે તળેટી કુંડ દામોદર ઉપર
ક્યાંક જો કરતાલ વાગે તો હરિજન જાણજે

ચીર, સંજોગો શકુની થઇ અને ખેંચે અગર
સાદ પાડી, લાગણીના ઋણને અજમાવજે

આપણી સામે ઉભા જે આપણા પ્રતિબિંબ થઇ

સારથિ નો મર્મ સમજી, તીર સૌને તાકજે

શી ખબર ક્યારે અલખના દ્વાર પર ઉભા રહો
એક મુઠ્ઠી શ્વાસ તારી પોટલીમાં રાખજે
ડો નાણાવટી ૭-૨-૧૨

No comments: